રોડા હિંમતનગરથી ૧૫ કિ.મી. દૂર આવેલું છે.
ભારતનું એકમાત્ર પક્ષી મંદિર અહી આવેલું છે. આ મંદિરના સ્તંભો, દરવાજા તેમજ દીવાલો ઉપર પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. મંદિરમાં કોઇ દેવી-દેવતાની મૂર્તિ નથી. માત્ર પક્ષીઓના આકાર કોતરેલા જોવા મળે છે. પક્ષી મંદિરની આસપાસ અન્ય પ્રાચીન મંદિરો પણ છે. પક્ષી મંદિરની અડોઅડ બીજું શિવજીનું મંદિર આવેલું છે.
અહીથી થોડા અંતરે વિષણું મંદિર અને શિવ મંદિર આવેલા છે. આ મંદિરના આગળના ભાગે કુંડ છે. કુંડની ચારે ખુણે મંદિર આવેલા છે. કુંડની અંદરના આ મંદિરોમાં એક ખુણે વિષ્ણુંની મુર્તિ અને બીજા ખુણે માતાજીની મુર્તિઓ, સામે ખુણે મોટી ગણપતીની મુર્તિ તેમજ આગળના ભાગમા લાડુચીમાતાની સાથે સાત માતાઓની મુર્તિઓ આવેલી છે.
અહીથી થોડે દુર જતા નવ ગ્રહ મંદિર છે.
આ વિસ્તારમાં ૧રપ જેટલા મંદિરો હતાં આ મંદિરના સ્થાપત્યની વિશેષ્તાએ છે કે, ચણતરમાં ચુનો કે સાધા જોડવા માટે બીજી વસ્તું કે પદાર્થ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર બાંધકામને અનુરૂપ પત્થરને ધડીને ગોઠવ્યા છે.
રસ્તો સારો છે પણ છેલ્લા એક કી.મી. રસ્તો કાચો છે પણ ગાડી છેક મંદિર સુધી જઈ શકે.
nice deitails
khub sundear ane utkrushth mahitee
LikeLiked by 1 person
ખુબ ખુબ આભાર
LikeLike
સરસ માહિતી. હવે હિંમતનગર જવાનું થશે ત્યારે આ જગા જોઈ આવીશું.
LikeLike